પાલક માતા-પિતાની યોજના: દર મહિને મળશે ₹3,000 ની સહાય (Palak Mata Pita Yojana)
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃદ્ધો અને વિધવાઓ માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આ લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ઉદાહરણ તરીકે, ‘નિરાધાર વૃદ્ધ સહાય’ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચલાવવામાં આવે છે, અને ‘વિધવા સહાય યોજના‘ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
આજે આપણે ‘પાલક માતા પિતા યોજના’ વિશે ચર્ચા કરીશું, જે સામાજિક સુરક્ષા કચેરીના નિયામક દ્વારા ચલાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં અનાથ અને નિરાધાર બાળકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ છે. આ યોજનાઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સામાજિક સુરક્ષા નિયામકની કચેરી દ્વારા સંચાલિત થાય છે. અનાથ બાળકો માટે ‘પાલક માતા પિતા યોજના’ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત અનાથ બાળકોને રૂ. 3000/- સહાય તરીકે આપવામાં આવે છે. આ રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા લાભાર્થી બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
અનાથ બાળકો માટે સારું જીવન સુનિશ્ચિત કરવા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી, સરકાર આવી યોજનાઓ દ્વારા નિરાધાર બાળકો, વૃદ્ધો અને વિધવાઓને આર્થિક સહાય આપીને તેમનું જીવનધોરણ સુધારવાનો પ્રયાસ કરે છે.
પાલક માતા-પિતાની યોજના વિષે ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
આર્ટિકલની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
અધિકૃત વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
કેવી રીતે અરજી કરવી (How to Apply for Palak Mata Pita Yojana)?
Palak Mata Pita Yojana માટે રસ ધરાવતી વ્યક્તિઓ ગુજરાતના સામાજિક અને મહિલા કલ્યાણ વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને યોજના માટે અરજી કરી શકે છે. આ યોજના માટેની અરજી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા, આવકના માપદંડોને પૂર્ણ કરવા અને અન્ય શરતોને સંતોષવા પડશે. ઉમેદવારો વેબસાઇટ પરના અનલાઇન ફોર્મ ભરી શકે છે અથવા નજીકના સામાજિક સેવા કેન્દ્રમાં જઈને મદદ મેળવી શકે છે.
પાત્રતાની શરતો
ગુજરાત રાજ્યમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બધા અનાથ બાળકો કે જેમના માતા-પિતા નથી, તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે. જો કોઈ બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યો હોય, તો તેને પુનઃલગ્નના પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
સહાયનો ધોરણ
- બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ. ૩,૦૦૦/-ની સહાય DBT મારફતે આપવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજો
- બાળકનો જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (કોઈ પણ એક)
- બાળકના માતા-પિતાના મરણના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
- જો પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન કર્યો હોય, તો સોગંદનામું, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો (કોઈ પણ એક)
- પુનઃલગ્નનો પુરાવો
- આવકનો દાખલો (ગ્રામીણ વિસ્તાર માટે રૂ. ૨૭,૦૦૦ થી ઓછું અને શહેરી વિસ્તાર માટે રૂ. ૩૬,૦૦૦ થી ઓછું)
- બાળક અને પાલક માતાપિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાર્ડની પ્રમાણિત નકલ
- બાળકના વર્તમાન ધોરણના અભ્યાસનું પ્રમાણપત્ર
- પાલક માતાપિતા પૈકી કોઈ એકનું આધારકાર્ડ
પાલક માતા પિતા યોજના ના લાભો
પાલક માતા પિતા યોજના અનાથ બાળકોને સારું અને સશક્ત જીવન પુરું પાડે છે. આ યોજના અનાથ બાળકોને નાણાકીય સહાય સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો પણ લાભ આપે છે. આ સહાય બાળકીના ભાવિ જીવનને સુનિશ્ચિત કરે છે અને તેમને સમાજમાં સારી જગ્યાએ પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
નિષ્કર્ષ: Palak Mata Pita Yojana
Palak Mata Pita Yojana અનાથ બાળકો માટે આશાનો કિરણ છે, જે તેમને આર્થિક સહાય ઉપરાંત ઉજ્જવળ ભવિષ્ય આપવાની ખાતરી આપે છે. આ યોજના સમાજના નબળા અને અસરગ્રસ્ત વર્ગના બાળકો માટે અત્યંત લાભદાયી છે, કારણ કે તે તેમને સારું જીવન અને વિકાસના અવસરો પૂરા પાડે છે.
FAQs: People Also Ask
જવાબ: આ યોજના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત થાય છે.
જવાબ: રાજ્યના નિરાધાર બાળકો માટે “પાલક માતા પિતા યોજના” અમલમાં છે.
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે, ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે.
જવાબ: નિરાધાર અને અનાથ બાળકોની દેખરેખ માટે, દર મહિને બાળકોના ખાતામાં 3000/- રૂપિયા જમા કરવામાં આવે છે.
જવાબ: પાલક માતા પિતા યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો.